નમસ્કાર મિત્રો Gujaratspeed.com વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદા વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.
ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદા : ડ્રેગ્ન ફ્રુટ જેને કમલમ ફ્રુટ પન કહેવામા આવે છે. જે ખાવાથી શરીરમા કમાલના ફાયદા થાય છે. હવે માર્કેટ મા ડ્રેગન ફ્રુટ ખૂબ જ જોવા મળે છે અને સરળતાથી ઉપલબ્ધ છે.
હવે તો આપણે ઘણી જગ્યાએ ડ્રેગન ફ્રુટ ની ખેતી થાય છે અને ડ્રેગન ની ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર તરફથી ખેડૂતોને સહાય પણ આપવામા આવે છે. જેના લીધે ડ્રેગનનુ ઉત્પાદન મોટાપાયે થાય છે અને લોકોને પરવડે તેવી કિમતે ડ્રેગન મળી રહે છે. ચાલો જાણીએ ડ્રેગન ફ્રુટ ખાવાના ફાયદાઓ.
ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદા
Table of Contents
ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદાની વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટમાં બિટાસાયમિન જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે. આ ફ્રૂટનું સેવન કરવાથી કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જશે. ડ્રેગન ફ્રુટ જીવલેણ બીમારીઓ સામે લડવા પણ સક્ષમ છે.
- આરોગ્ય માટે ગુણકારી છે એન્ટીઓક્સિડેન્ટ્સ તત્વોથી ભરપૂર
- ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં ફાઈબર તત્વો હોય છે.
- ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ ઓછું થાય છે.
ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદામા એક મુખ્ય છે. ડ્રેગન ફ્રુટ કેન્સર સામે લડવા માટે સક્ષમ- ડ્રેગન ફ્રૂટમાં ફ્લેવેનોઈડ, ફેનોલોએક એસિડ અને બિટાસાયમિન જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ તત્વો ભરપૂર પ્રમાણમા રહેલા હોય છે. જે કુદરતી રીતે ફ્રી રેડિકલ્સને ખતમ કરવાનુ કામ કરે છે.
ફ્રી રેડિકલ્સને કારણે ઓક્સિડેટીવ સ્ટ્રેસ થાય છે, જેના કારણે સેલ્સના DNAમાં પરિવર્તન પામે છે. સેલ્સમાં થતું આ પરિવર્તનને કારણે કેન્સર થતું નથી. આ કારણોસર ફ્રી રેડિકલ્સ ઓછા થશે, તો કેન્સરનું જોખમ પણ ઓછું થવાની શકયતાઓ છે.
ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદા
વજન ઓછું કરવામાં ઉપયોગી- ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં ફાઈબર તત્વો રહેલા હોય છે, સવારે નાસ્તામા આ ફ્રૂટનું સેવન કરી શકાય છે. જેથી આખો દિવસ ભૂખ લાગતી નથી. જે લોકો વજન ઓછું કરવા માટે ડાયટ પ્લાન કરી રહ્યા છે, તે લોકો માટે ડ્રેગન ફ્રૂટ ખૂબ જ લાભદાયી છે.
હ્રદય માટે ફાયદાકારક- ડ્રેગન ફ્રૂટમાં નાના નાના કાળા બીજ આવેલા હોય છે. આ બીજમાં ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ રહેલા હોય છે અને ફેટ ખૂબ જ ઓછી માત્રામા હોય છે. જેથી ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ વધતુ નથી અને હ્રદય માટે ખૂબ જ ઉપયોગી છે.
ડાયાબિટીસ કંટ્રોલ મા રહે- ડ્રેગટ ફ્રૂટનું સેવન કરવાથી બ્લડ શુગર ઓછું થાય છે. એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી પૈંક્રિયાજમાંથી ઈન્સ્યુલિનનું યોગ્ય પ્રકારે ઉત્પાદન થઇ શકે છે. ઈન્સ્યુલિન ઓછું બને છે, ત્યારે બ્લડ શુગર વધી જાય છે. જેની સામે ડ્રેગન ફ્રૂટ કુદરતી રીતે ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનુ કામ કરે છે.
ઇમ્યુનીટી વધે છે- ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ડ્રેગન ફ્રૂટમાં વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ તત્વો રહેલા છે, જેનાથી ઈમ્યૂનિટીમાં વધારો થાય છે.
ડ્રેગન ફ્રૂટ ક્યારે ખાવું જોઈએ?
સામાન્ય રીતે કોઇપણ ફ્રુટના સેવન માટે સવારનો સમય બેસ્ટ માનવામાં આવે છે. કારણ કે પાચન તંત્ર ફળોની શુગરને ઝડપથી ઓગાળી શકે છે અને શરીરને તમામ પોષક તત્વો આપે છે. ડ્રેગન ફ્રૂટને મિડ મિલ તરીકે અથવા રાત્રે પણ ખાઇ શકાય છે. રાત્રે લેવામાં આવે તો વધુ સારી ઊંઘમાં આવવામા મદદ મળે છે.
ડ્રેગન ફ્રૂટ ખાવાની રીત
ડ્રેગન ફ્રુટને તમારા ફળોના સલાડમાં અનાનસ અને કેરી જેવા ફળો સાથે ઉમેરીને લઇ શકાય છે. તેનો આઇસક્રીમ બનાવી શકો, જ્યુસ અથવા પીણાંમાં સ્વાદ માટે નીચોવી ને પન ઉપયોગ કરી શકાય છે. ગ્રીક દહીં માટે ટોપિંગ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. ફ્રીઝમાં રાખો અને તેને સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકો.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને બદામ ખાવાના ફાયદા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, NHM Satara Recruitment is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.