કોઈ 2000ની નોટ લેવાની ના પાડે તો શું કરવું

કોઈ 2000ની નોટ લેવાની ના પાડે તો શું કરવું :- ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. પરંતુ, જેની પાસે 2000 રૂપિયાની નોટ છે તેઓ તેને બેંકમાં જમા કરાવી શકે છે અને તેની પ્રક્રિયા પણ બેંકમાં શરૂ થઈ ગઈ છે

શુક્રવારની જાહેરાત બાદ લોકો હવે ઈચ્છી રહ્યા છે કે તેમની 2000 રૂપિયાની નોટ બદલવી જોઈએ અથવા તેને ખર્ચવામાં આવે. જો કે, હવે ઘણા દુકાનદારો 2000 રૂપિયાની નોટ લેવાનું ટાળી રહ્યા છે અને 2000 રૂપિયાની નોટ લેવાની ના પાડી રહ્યા છે.

કોઈ 2000ની નોટ લેવાની ના પાડે તો શું કરવું

દુકાનદારો દ્વારા રૂ. 2000ની નોટો ન સ્વીકારવાને કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  પરંતુ, આરબીઆઈના નિયમો અનુસાર, કોઈપણ દુકાનદાર 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈન્કાર કરી શકે નહીં. તો ચાલો જાણીએ કે જો કોઈ વ્યક્તિ 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરે તો શું કાર્યવાહી થઈ શકે છે.

ભારતીય ચલણ લેવાની ના પાડે તો તે ગેરકાયદેસર

કોઈ વ્યક્તિ ભારતીય ચલણ લેવાની ના પાડે તો તે ગેરકાયદેસર છે. કાનૂની ટેન્ડર નોટો ગમે તે હોય, તેને લેવા માટે કોઈ ના પાડી શકે નહીં અને તેને ભારતીય ચલણનું અપમાન ગણવામાં આવશે. આમ કરવા પર ભારતીય દંડ સંહિતાની કલમ 124-A (રાજદ્રોહ) અને કલમ 188 જેવી કાર્યવાહી થઈ શકે છે. ચલણ લેવાનો ઇનકાર કરવા બદલ FIR દાખલ કરી શકાય છે. આવી સ્થિતિમાં કોઈ પણ દુકાનદાર નોટ લેવાનો ઈન્કાર કરી શકે નહીં.   

હવે નોટો કેવી રીતે બદલવી?

ભારતીય ચલણ 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરાવી શકાશે. આ સિવાય તેમને બદલી પણ શકાય છે. એક સમયે માત્ર 10 નોટો જ બદલાશે. આ સિવાય તેને માત્ર માન્ય ચલણ તરીકે જ ગણવામાં આવશે. નોટ બદલવા માટે ગ્રાહકને કોઈ ફોર્મ કે ઓળખ કાર્ડની જરૂર નથી. સામાન્ય લોકોને 2,000 રૂપિયાની નોટો એકસાથે 20,000 રૂપિયા સુધીની નોટ બદલવા માટે કોઈ ફોર્મની જરૂર નહીં પડે. તેને બેંકમાં સરળતાથી બદલી શકાય છે.