સાળંગપુર મંદિરમાં હનુમાનજીને જે રીતે સ્વામીનારાયણ ભગવાનના દાસ બતાવવામાં આવ્યા છે

સાળંગપુર મંદિર હાલમાં આખા ગુજરાતમાં એક જ ચર્ચા છે કે સાળંગપુર મંદિરમાં હનુમાનજીને જે રીતે સ્વામીનારાયણ ભગવાનના દાસ બતાવવામાં આવ્યા છે એ ચિત્રો તાત્કાલિક હટાવી દેવામાં આવે.

અનેક કલાકારો, સંતો મહંતો અને લોકો પણ આવી જ માંગણી કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે PM અને CM વચ્ચે મંદિર વિવાદ અંગે ચર્ચા થઈ છે,

જો કે એની કોઈ પાક્કી માહિતી સામે નથી આવી પણ લોકમુખે આવી ચર્ચાઓ થઈ રહી છે.

સાળંગપુર મંદિર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોબ દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં PM મોદી સાથે 25 સુધી અંગત બેઠક પણ યોજવામાં આવી હતી.

રાજકીય સુત્રો એવું કહી રહ્યા છે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચે આ સાળંગપુર મંદિર વચ્ચે વિવાદ અંગે વાતચીત કરવામાં આવી છે અને વિવાદને શાંત પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

Important Link

વધુ માહિતી માટે  અહીં ક્લીક કરો 
હોમ પેજ માટે  અહીં ક્લીક કરો 

Leave a Comment